નવા પરિપત્ર મુજબનું પરિણામ પત્રક ધોરણ 1 થી 8
1. ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓના પરિણામ પત્રક ( D2 અને D4 ) માં વિદ્યાર્થીના નામ સામે “ વર્ગ બઢતી- એમ દર્શાવવું, અન્ય વિગતો દર્શાવવાની જરૂર નથી.
2. ધોરણ ૩ થી 8 માં મુખ્યત્વે શિક્ષક દ્વારા થતા રચનાત્મક મૂલ્યાંકન આધારિત પરિણામ પત્રક તૈયાર કરવાનું છે . આ માટે Home Learning અંતર્ગત શિક્ષક દ્વારા થયેલ અનૌપચારિક મૂલ્યાંકન તેમજ વર્ષ દરમિયાન યોજાયેલ સામયિક કસોટીઓ વગેરેનો આધાર લઇ શકાશે. ધોરણ ૩ થી 8 માં સત્રવાર રચનાત્મક મૂલ્યાંકન પત્રક A માં વિગતો દર્શાવવી, જેથી દરેક વિદ્યાર્થીનું 40 + 40 એમ 80 ગુણનું મૂલ્યાંકન થશે. આ ઉપરાંત, વર્ષ દરમિયાન Home Learning અંતર્ગત વિદ્યાર્થીની સહભાગિતાને ધ્યાનમાં લઈને વર્ષાન્ત 20 ગુણ પૈકી ગુણાંકન કરવું. આમ દરેક વિદ્યાર્થીનું 100 ગુણનું ગુણાંકન થશે.
૩. ધોરણ ૩ થી 8 માં પત્રક B ભરવાની જરૂર નથી.
4. પત્રક C માં પ્રથમ સત્રમાં રચનાત્મક મૂલ્યાંકન 40 ગુણ, દ્વિતીય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનના 40 ગુણ અને વિદ્યાર્થીની સહભાગિતાના 20 ગુણ સ્વ મૂલ્યાંકનના ખાનામાં દર્શાવવા.
5. ધોરણ 4 માં હિન્દી અને અંગ્રેજી વિષયમાં માત્ર દ્વિતીય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનના 40 ગુણ અને વિદ્યાર્થીની સહભાગિતાના 20 ગુણ મળી વિષય દીઠ 60 ગુણમાંથી ગુણાંકન કરવું.
ઓફિસિયલ પરિપત્ર જોવા માટે 👇
SCE પત્રક "A થી F" GCERT દ્વારા બનાવેલ પત્રકો Click Here