ધોરણ -૯ અને ધોરણ -૧૧ માં
માસ પ્રમોશન આપવા બાબત
ગુજરાત સરકાર
શિક્ષણ વિભાગ
પરિપત્ર ક્રમાંક મશબ/૧૨૨/૮૭/છ
તારીખ : ૧૬/૦૪/૨૭૨૧
વંચાણે લીધા
( ૧ ) શિક્ષણ વિભાગનો તા . ૨૪/૦૩/૨૦૨૦ નો સમાન ક્રમાંકનો ઠરાવ
( ૨ ) તા .૧૫/૦૪/૨૦૨૧ ના રોજ માન . મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કેબિનેટ બેઠક
ઠરાવ :
રાજ્યમાં તાજેતરમાં કોરીનો વાઇરસ ( કોવિડ -૧૯ ) નું સંક્રમણ વધતાં તારીખ ૧૫/૦૪/૨૦૨૧ ના રોજ સરકારશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજ્યના ધોરણ -૯ અને ધોરણ -૧૧ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અંગેની જાહેરાત કરવામાં આવેલ છે . સરકારશ્રીના આ નિર્ણય મુજબ રાજ્યમાં કોરોનાના વ્યાપક ફેલાવાને કારણે રાજ્યમાં ધોરણ -૯ અને ધોરણ - ૧૧ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ ૨૦૨૦- ૨૦૨૧ પૂરતું માસ પ્રમોશનથી પાસ જાહેર કરીને આગળના ધોરણમાં લઇ જવાના રહેશે . ધોરણ -૯ અને ધોરણ -૧૧ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા આ અંગેની આનુષંગિક વિગતવાર સૂચનાઓ બહાર પાડવાની રહેશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ,
( રોનક મહેતા )
નાયબ સચિવ
શિક્ષણ વિભાગ
ધોરણ 9 અને 11 માં માસ પ્રમોશન આપવા બાબત શિક્ષણ વિભાગનો પરિપત્ર 👇